(એજન્સી) ચંદીગઢ, તા.ર૯
રાજિન્દર કોલેજ ભટિંડામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાના કેસની નોંધ લેતા, પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે કોલેજના પ્રિન્સિપાલને સમન્સ પાઠવ્યા છે.આ માહિતી જાહેર કરતા, પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મામલો એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર દ્વારા કમિશનના ધ્યાનમાં આવ્યો હતો, જેના પર કમિશને કાર્યવાહી કરી છે અને રાજિન્દર કોલેજ ભટિંડાના પ્રિન્સિપાલને ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ કમિશન સમક્ષ રૂબરૂ હાજર થવા જણાવ્યું છે.
દલિત વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાના કેસમાં એસસી કમિશને રાજિન્દર કોલેજ ભટિંડાના પ્રિન્સિપાલને સમન્સ પાઠવ્યા
Gujarat Today
Leave A Reply