(એજન્સી) ગાઝા, તા.૧૧
ગુરૂવારે સત્તાવાર આંકડા દર્શાવે છે કે, પેલેસ્ટીની પ્રદેશ પર ઇઝરાયેલના ચાલુ વિનાશક યુદ્ધને કારણે ગાઝાની વસ્તીમાં ૧૦% ઘટાડો થયો છે.
પેલેસ્ટીની સેન્ટ્રલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘પેલેસ્ટીન ખાસ કરીને ગાઝા પટ્ટી, ઓકટોબર ૨૦૨૩થી ચાલુ રહેલ ઇઝરાયેલી આક્રમણને કારણે અભૂતપૂર્વ માનવતાવાદી અને વસ્તી વિષયક વિનાશનો ભોગ બની રહી છે.’ બ્યુરોએ જણાવ્યું કે, ઇઝરાયેલના હુમલામાં ૫૭,૦૦૦થી વધુ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, જેમાં ૧૮,૦૦૦ બાળકો અને ૧૨,૦૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે, જે ગાઝાની કુલ વસ્તીના ૨.૪%નું પ્રતિનિધિત્વ કરે છે.બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ એ પણ દર્શાવે છે કે, ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ ૧,૦૦,૦૦૦ પેલેસ્ટીનીઓએ પ્રદેશ છોડી દીધો છે.સત્તાવાર આંકડાઓ અનુસાર ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું તે પહેલાં ૨૦૨૩માં ગાઝાની વસ્તી ૨૨,૨૬,૫૪૪ હતી.‘વસ્તીના અંદાજો સૂચવે છે કે, વસ્તી આશરે ૨૧,૨૯,૭૨૪ ઘટી છે, જે ૨૦૨૪ના મધ્ય અંદાજની સરખામણીમાં ૬ટકા ઘટાડો દર્શાવે છે. ‘વધુમાં વસ્તી ઘટીને ૨૧,૧૪,૩૦૧ થઈ ગઈ, જે ૨૦૨૫ના મધ્ય અંદાજની સરખામણીમાં ૧૦%નો ઘટાડો દર્શાવે છે.’ બ્યુરોએ ‘ઇઝરાયેલી સૈન્ય દ્વારા નાની વયના જૂથો, ખાસ કરીને બાળકો અને યુવાનોને ઇરાદાપૂર્વક લક્ષ્યાંકિત કરવાના કારણે’ વય અને વસ્તીના પિરામિડમાં ‘મૂળભૂત પરિવર્તન’ અને વિકૃતિની ચેતવણી આપી હતી.ગયા નવેમ્બરમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલેન્ટ, ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયેલને એન્કલેવ પરના તેના યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
ઇઝરાયેલના નરસંહાર યુદ્ધ દરમિયાન ગાઝાની વસ્તીમાં ૧૦ ટકાનો ઘટાડો થયો
Gujarat Today
Leave A Reply